દેશના એકમાત્ર મતદાર ધરાવતા મત કેન્દ્ર એવા ગીરગઢડાના બાણેજની મુલાકાત લેતા જિલ્લા કલેકટર.એક મત પડે એટલે 100% મતદાન થયૂ ગણાય.
.એકમાત્ર મતદાર માટે ૧૫ જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા
કરાય..મતદાન મથક સાથે રમણીય ગીરજંગલ મા કલેકટરે જાતે કચરો એકઠો કરી..પ્રથમ વખત સફાઈ અભીયાન પણ હાથ ધર્યૂ..
ગીર વચે આવેલ ઘટાટોપ જંગલ વચ્ચે “બાણેજ આશ્રમ” પહોંચીને મતદાનની સમગ્ર વ્યવસ્થાઓ જિલ્લા કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા એ નિહાળી હતી. એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં ૨૫ કિ.મી.ની દૂર્ગમ મુસાફરી કરી પહોંચે છે મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથોસાથ વિશાળ અને વૈવિધ્યતા ને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના થી વંચિત રહી ન જાય તે જરૂરી હોય છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યૂ છે.
જ્યાં જંગલ નો રસ્તો હોય ત્યા પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજા એ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશમાં દેશના એક માત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના સંકલ્પને સાર્થક કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાનું આવું જ એક સ્થળ છે બાણેજ… ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળ થી ૮૦ કિલોમીટર દૂર આવેલ તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાળાથી ૨૫ કિલોમીટર દૂર અને દૂર્ગમ જંગલમાં આવેલ એકમાત્ર મતદાર ધરાવતા વ્યક્તિ માટે ઊભા કરવામાં આવેલ મતદાન મથક અને તેની વ્યવસ્થા માટે કલેક્ટર એ આજે મુલાકાત લીધી હતી.
ભારત દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે ૧૫ જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે.બીસ્માર રસ્તાઓ વચે ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વનવિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે ૧ પ્રિસાઈડિંગ ઓફિસર, ૨ પોલિંગ એજન્ટ, ૧ પટાવાળા, ૨ પોલીસ તેમજ ૧ સી.આર.પી.એફ. અને અન્ય સહાયક સ્ટાફ મળી ૧૫થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજાએ બાણેજ ખાતે મતદાન અંગેની તમામ વ્યવસ્થાઓ બાબતે જણાવ્યું હતું કે, ‘લોકશાહીમાં એક-એક મત કિંમતી છે. દૂર્ગમ વિસ્તારોમાં પણ કોઈ મતદાર, મતદાન કરવાના અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર પ્રયત્નો કરે છે. દેશમાં માત્ર મતદાર ધરાવતું એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે. જ્યાં મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે. જંગલ વિસ્તારના આવા દૂર્ગમ વિસ્તારમાં પણ જો ચૂંટણીતંત્ર પ્રયાસો કરતું હોય તો તમામ લોકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાનો અમૂલ્ય મત અવશ્ય આપવો જોઈએ.
કલેકટર એ મહંતને ચૂંટણીના મહત્વ અને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી અને બાણેજ મતદાન મથક ખાતે ‘એક વોટ, સો ટકા મતદાન’ની પરંપરા બરકરાર રાખવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરની આ મુલાકાત વેળાએ જંગલ ના આ બાણેજ આશ્રમ મા પ્લાસ્ટીક બોટલો કચરો જોતા કલેક્ટરે જાતેજ બધો કચરો ઊઠાવી જંગલ મા સફાઈ અભીયાન શરૂ કર્યૂ હતૂ..જેમા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ પણ જોડાયા હતા…
રિપોર્ટર:- મૌલિક ઝણકાટ










