લોકોના હક્કનું અનાજ પચાવી પાડવા ભાજપ,કોંગ્રેસ અને આપના આગેવનોએ મિલાવ્યો હાથ, દરોડા પડતાં જ ફૂટ્યો મોટો ભાંડો

નર્મદાના સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી,સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવતા રાજકીય પક્ષોમાં હલચલ મચી જ્વા પામી છે.

નર્મદાના સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી,સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવતા રાજકીય પક્ષોમાં હલચલ મચી જ્વા પામી છે. જેમાં ત્રણ રાજકીય પક્ષોના ચાર આરોપીઓ ભાજપા, કૉંગેસ ને આમ આદમી પાર્ટીના કાર્યકરોહોવાનું પત્રકાર પરિષદના નર્મદા પોલીસે ખુલાસો કરતા રાજકીય આગેવાનોમાં સોપો પડી ગયો છે 

આજે રાજપીપલા ખાતે જિલ્લા પોલીસ વડાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર મામલતદાર સાગબારાએ કરતા રેડ પાંચપીપળી રોડ સેલંબા ખાતે ખાનગી ગોડાઉનમા સરકારી અનાજ ધંઉનો જથ્થો ગેરકાયદેસર રીતે સગેવગે થતો હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. છાપો મારતા રૂ.3 લાખ નો સરકારી અનાજકબ્જે કરી પકડાયેલ ઇસમો વિરૂધ્ધ નર્મદા પોલીસે ગુનો દાખલ કર્યો છે

કૌભાંડ કરવા આ નેતાઓની મિલી ભગત 
કૌભાંડ કરવામાં ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા’,   ચાર આરોપીઓ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો નીકળ્યા, તમામની ધરપકડ કરવા નર્મદા પોલીસે કર્યા ચક્રો ગતિમાન, રાજપીપળામાં જિલ્લા પોલીસ વડાએ આપી માહિતી, ભાવેશ કાનજીભાઇ ડાંગોદરા ઇન્ચાર્જ મેનેજર, સરકારી ગોડાઉન, દૌલત ભાંગાભાઇ નાઇક  અને આનંદ દેસીંગ વસાવા આ બંને કોંગ્રેસ કાર્યકર્તા છે જ્યારે રાજેન્દ્ર રામસિંગ વસાવા, જયકુમાર દિનેશભાઇ વસાવા અને મનીષ ગવરચંદ શાહ આ ત્રણેય ભાજપના કાર્યકર્તા છે. જ્યારે  શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા આમ આદમી પાર્ટીના  નર્મદા જિલ્લા ઉપપ્રમુખ છે.
Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool