શાળામાં આવતા કે જતી વખતે વિદ્યાર્થીને કશું થાય તેની જવાબદારી વાલીની રહેશે તેવા બાહેધરી પત્રો લેવાયા

વડોદરાના શાળા સંચાલકો અને વાન ચાલકો વચ્ચે અટવાતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે આજે શાળા શરૂ થવાના પ્રારંભે કેટલીક સ્કૂલોએ બાહેધરી પત્રો લીધા હતા. “ઘરેથી શાળાએ આવતા અથવા શાળાએથી ઘરે જતી વખતે કોઈ દુર્ઘટના બને તે માટે શાળા સંચાલકોની કોઈ જવાબદારી રહેશે નહીં” એવા તેઓ પાસેથી સેલ્ફ ડેકલેરેશન લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. 

 

ઘણી વખત રાજ્યમાં શાળામાં જતા વાહનોના અકસ્માત અથવા આગ લાગવા જેવી ઘટના બની ચૂકી છે. ત્યારે આવી ઘટનાના પગલે રાજ્ય સરકારે આદેશ જારી કરતા ઘરેથી શાળાએ આવતા અથવા શાળાએથી ઘરે સ્કૂલ વાન કે ઓટો રીક્ષામાં જતા વિદ્યાર્થીઓને કશું થશે તો તેની જવાબદારી શાળા સંચાલકોની રહેશે તેવો નિર્ણય જાહેર કર્યો હતો. જેના વિરોધમાં શાળા સંચાલકોએ જિલ્લા કલેકટર ખાતે આવેદનપત્ર આપી સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે, ઘરેથી શાળાએ આવતા અથવા શાળાથી ઘરે જતી વખતે વાહનમાં જો કોઈ ઘટના બને છે તો અમારી જવાબદારી નથી. શાળાના પ્રાંગણમાં પ્રવેશથી પ્રાંગણની બહાર જતા વેળા સુધીની જ અમારી જવાબદારી છે. ત્યારે સરકારના નિયમમાં ભવિષ્યમાં કદાચ શાળા સંચાલકો ભેળવાય નહીં તે માટે વાન અથવા રિક્ષામાં આવતા વિદ્યાર્થીઓને કશું થાય છે તો તેની જવાબદારી વાલીઓની રહેશે તેવા બાહેધરી પત્રો આજે કેટલાક શાળા સંચાલકો દ્વારા લેવામાં આવ્યા છે.

Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool