સુરતમાં કરોડો રૂપિયાના જમીનકાંડ મામલે મોટી કાર્યવાહી, IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા

સુરતમાં બહાર આવેલા કરોડોના જમીન કૌભાંડે રાજ્યમાં મોટો ખળભળાટ મચાવી દીધો હતો. જેમાં કરોડોની સરકારી જમીન બિલ્ડરોને પધરાવી દેવાઈ હતી. હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડુમસ જમીન કૌભાંડ મામલે IAS આયુષ ઓકને વલસાડના કલેક્ટર પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે આ મામલામાં તે સમયના સુરતના કલેક્ટર આયુષ ઓકનું નામ પણ ઉછળ્યું હતું.
લોકસભા ચૂંટણીના કારણે મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી ત્યારે સુરતના કલેક્ટર આયુષ ઓકની બદલી વલસાડ કરવામાં આવી હતી. જો કે તેમની બદલી થઈ તે પહેલાં જ તેમણે અનેક વિવાદાસ્પદ ઓર્ડરો પર સહી કરી નાખી હોવાના આક્ષેપો થયા હતા. જેમાં સરકારી જમીનો બિલ્ડરોને આપવાના કૌભાંડનો ખુલાસો થયો હતો. આ મામલે સરકાર કેવાં પગલાં ભરે છે એની તરફ સૌની નજર હતી.
સરકારી જમીન ચોપડે ખાનગી માલિકોની
જે વિગતો સામે આવી છે તે મુજબ ડુમસ ગામના સરવે નંબર 311/3વાળી 2,17,216 ચોરસ મીટર જગ્યા સરકારી શીર પડતર તરીકે 1948-49 ના વર્ષથી હતી. સરકારી જમીન હોવા છતાં તેમાં કબજેદાર તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ ગણોતિયા તરીકે નોંધ નંબર 582 અંતર્ગત દાખલ કરવામાં આવેલું હતું. અત્રે જણાવવાનું કે સરકારી જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ થઈ શકે નહીં પરંતુ આમ છતાં ખોટી રીતે નામ જોવા મળ્યું.
Matrubhumi News
Author: Matrubhumi News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

  • Buzz4 Ai
  • Ai / Market My Stique Ai
  • Buzz Open / Ai Website / Ai Tool